હમણાં 14 એપ્રિલ આવે છે... એટલે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે બાબાસાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.. જોકે હાલ તો કોરોના ની પરિસ્થિતિને લઈ ને મોટા કોઈ કાર્યક્રમ નહિ કરવામાં આવે. પરતું નાની મોટી પ્રવુતિ કરવામાં આવસે અને બાબાસાહેબને યાદ કરવામાં આવશે. હવે વાત કરુ મારા ગામ એટલે કે ચુડા બ્લૉક ની મને નરેશ ભાઈ નો ફોન આવેલો કે લોકડાઉન છે, એટલે કાર્યક્રમ તો નહિ થાય પણ આપડે ઘરે ઘરે જઈને જય ભીમ લખેલો ઝંડો ઘરે ઘરે આપી આવીએ. એટલે મને કીધું કે તારે કોન્ટેક હોય તો વ્યવ્સ્થા કર બાબાસાહેબનો ફોટો અને ઝંડો અમે લોકો પૈસા ની વ્યવ્સ્થા કરીએ. મે ઝંડા માટે કૌશિકભાઈ શરૂઆતને ફોન કર્યો કે કોઈ આવું વેચતા હોય તેમનો Numbar આપો એટલે તેમને નાં પાડી કે મારી પાસે નથી, અને તે જ સમયે મને વિચાર આવ્યો કે કૌશિકભાઈ બહુજન સાહિત્ય નું કામ કરે છે, તો આપડે પુસ્તકો જ ઘરે ઘરે પહોંચાડી એતો ! કેમ કે ઝંડો અને ફોટો તો આપીએ પણ પુસ્તક આપીએ તો કઈક અલગ લાગશે અને સારું પણ લાગશે. કેમ કે મને ખ્યાલ છે ત્યા શુધી લોકો ને બાબાસાહેબ નો જન્મ દિવસ ક્યારે આવે છે એના વીસે પણ માહિતી નથી હોતી અને આ જ ખરી ...