Skip to main content

14 april ambedkar jayanti

 હમણાં 14 એપ્રિલ આવે છે... એટલે  દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે બાબાસાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.. જોકે હાલ તો કોરોના ની પરિસ્થિતિને લઈ ને મોટા કોઈ કાર્યક્રમ નહિ કરવામાં આવે. પરતું નાની મોટી પ્રવુતિ કરવામાં આવસે અને બાબાસાહેબને યાદ કરવામાં આવશે. 


હવે વાત કરુ મારા ગામ એટલે કે ચુડા બ્લૉક ની  મને નરેશ ભાઈ નો ફોન આવેલો કે લોકડાઉન છે, એટલે કાર્યક્રમ તો નહિ થાય પણ આપડે ઘરે ઘરે જઈને જય ભીમ લખેલો ઝંડો ઘરે ઘરે આપી આવીએ.  એટલે મને કીધું કે તારે કોન્ટેક હોય તો વ્યવ્સ્થા કર બાબાસાહેબનો ફોટો અને ઝંડો અમે લોકો પૈસા ની વ્યવ્સ્થા કરીએ.


મે ઝંડા માટે કૌશિકભાઈ શરૂઆતને ફોન કર્યો કે કોઈ આવું વેચતા હોય તેમનો Numbar આપો એટલે તેમને નાં પાડી કે મારી પાસે નથી, અને તે જ સમયે મને વિચાર આવ્યો કે કૌશિકભાઈ બહુજન સાહિત્ય નું કામ કરે છે, તો આપડે પુસ્તકો જ ઘરે ઘરે પહોંચાડી એતો !  કેમ કે ઝંડો અને ફોટો તો આપીએ પણ પુસ્તક આપીએ તો કઈક અલગ લાગશે અને સારું પણ લાગશે.  કેમ કે મને ખ્યાલ છે ત્યા શુધી લોકો ને બાબાસાહેબ નો જન્મ દિવસ ક્યારે આવે છે એના વીસે પણ માહિતી નથી હોતી અને આ જ ખરી વાસ્તવિકતા છે. જો એમના જન્મ દિવસ ની ખબર ન હોય તો પછી એમના વિચારો ની તો વાત બહુ દૂર રહી. 


અને બાબાસાહેબે જ કીધું છે કે "હું મૂર્તિઓ માં નહિ કિતાબો માં છું, મને પૂજવાની જરૂર નથી મને અને મારા વિચારોને તમાંરે વાંચવાની જરૂર છે".  અને પછી જોવો તમાંરે કોઈની ગુલામી કરવાની જરૂર નહિ પડે.  


પણ આપડે તો કઈક અલગ જ કર્યું છે,  જ્યારે 14 એપ્રિલ આવે કે કોઈ ઘટના બને એટલે જય ભીમ જય ભીમ કરી ને ઝંડા લઈ ને નિકડી જઈએ પરતું એમને કે એમના વિચારો ને આપડે વાંચતા નથી. 


અને પાછું ઉલટુ કે પોચી પૂનમ કે અલગ અલગ વ્રત ક્યારે આવસે, ક્યારે પીપળા ને પાણી પીવરાવા જવાનું કે જેથી આપડા પિતૃ રાજી થાય આવી બધી વાતું એમને યાદ હોય. (મારા માટે કાલ્પનિક)  પણ બાબાસાહેબે ક્યારે પાણી પીવા માટે મહાડ સત્યાગ્રહ કર્યો, દલિતો મંદિરમાં પ્રવેશે એના માટે કાલારામ મંદિર સત્યાગ્રહ કર્યો.  જ્યોતિબા ફૂલે અને સાવિત્રી બા ફૂલે કોણ હતા તેમને શું યોગદાન  આપ્યું એ નહિ ખબર હોય.  


જોકે પેલા હું પણ આ બધું નતો જાણ્તો પણ જ્યારે હ્યુ સોસીયલ મીડિયા માં એક્ટિવ થયો અને ઘણા સારા મિત્રો નાં સંપર્ક માં આવ્યો પછી મને પણ જાણકારી મળી  કે આ બધા લોકો એ આપડા માટે આટલું યોગદાન આપ્યું અને હવે આપડે પે બેક ટુ સોસાયટી અંતર્ગત આપડે પણ આપડી ફરજ પૂરી કરવાની જે બની શકે તે. 


મેં શરૂમાં ગૃપ માં વાત કરી એટલે એમને નાં પાડી કે આવું પુસ્તક વહેંચવાનું કામ પછી કરીશું , પણ મે નક્કી કર્યું કે બની શકે તેટલી ટ્રાય કરુ સમજાવાની તો ગૃપ માં એક્ શિક્ષક હતા દિપક ભાઈ નામ થી એમને કીધું વિચાર તો સારો છે પણ પુસ્તકો મળી રહેશે, એટલે મે કીધું એ કામ મારું હું કરી નાખીશ અને પછી પુસ્તકો ઘરે ઘરે વહેંચવાનું કામ નક્કી થાય ગયું.. 


અને મે બાબાસાહેબનો બેઝીક માહિતી આપતી 200 પુસ્તકો પણ મંગાવી લીધી અને હવે ઘરે ઘરે પહોંચાડવાની છે, એટલે કે બાબાસાહેબનાં વિચારો ને ઘર ઘર સુધી પહોંચાડવાનું નાનું એવું કાર્ય અમારું શરૂ થયું,  


અને મને એક ભાઈ એ એમ પણ કીધું કે સારું થયું તમે આ કામ કર્યું એટલે સમાજ ની મહિલાઓ અને પુરુષો આવું કઈક વાંચશે તો કઈક જાગૃત થાશે અને દશામાંની અને બીજી વ્રતની ચોપડીઓ સાઇડ મૂકશે.. 


જોકે અમારા ગૃપ દ્વારા હાલ 14 એપ્રીલે આ પ્રવુતિ હાથ ધરવામાં આવી છે.. આગળ પણ કઈક નવું અને સારું કામ કરીશું પણ કહેવાય છે ને કે' સારા કામની સુગંધ ફેલાતા વાર લાગે,  પણ ભલે વાર લાગે' વિચારો એટલે કે બાબાસાહેબ નાં વિચારોનો રથ આગળ વધારવાનો છે.. 


અંતે બાબાસાહેબ નું જ વાક્ય લખું છું કે


"શિક્ષણ એ શેરની નું દૂધ છે, જે પીશે તે દહાડશે".


Jay bhim  Jay samvidhan


Anand j vora

(Chuda. Surendnagar)


Comments

Popular posts from this blog

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો.  એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!   બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે.  હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી.  એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા.  મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?" લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની??  બીક માં રહેવાનું??  કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત.  પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું???  (આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો ...

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

સુધા મૂર્તિ નાં પુસ્તક નો અંશ

આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા લેખીકા , સમાજસેવિકા , અને શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.          તેઓ કહે છે ,, કે ’ સ્વપ્ના જોવા એ સારી વાત છે , પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે , પરંતુ જ્યારે સ્વપ્ન અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.         આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા.   અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ ,, તેણે કિધું મેડ્મ નહી કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.   ...