મને બહુ મોડા ખબર પડી કે IAS કે PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની.
એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય..
જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ.
ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે, સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..
Comments
Post a Comment