Skip to main content

10 માર્ચ ની વાત.

 આજે બપોરે હું સુરેન્દ્રનગર થી ચુડા ટ્રાવેલ્સ માં આવતો હતો... 3 વાગ્યે ચુડા પહોંચ્યો અને ઉતરવાનું હતું ત્યા એક્ વૃદ્ધ વ્યક્તિ હતા તેમને પેલા ડ્રાઈવર ભાઈ ને કીધું કે કેટલું ભાડું આપું ??? તો પેલા ભાઈ એ કીધું કે 30  રૂપિયા આપો.  તો પેલા વૃદ્ધ વ્યક્તિએ થોડોક ખચકાટ અનુભવતા ધીરે થી કીધું કે મારી પાસે 20 રૂપિયા જ છે... હું તાવડી વેચવા નીકલ્યો છું સવાર થી પણ કાઇ વેચાણુ નથી, અને મારી પાસે બીજા પૈસા પણ નથી 20 રૂપિયા લઈ લેશો? એટલે પેલા ટ્રાવેલ્સ વાળા ભાઈ એ 20 રૂપિયા લઈ લીધા કીધું ચાલસે કાકા.. આ ઘટના જોઈ અને તે વૃદ્ધ વ્યક્તિ ની હાલત જોઈ થોડું દુ:ખ થયું. 


ત્યા પેલા ટ્રાવેલ્સ વાળા ભાઈ એ પાછું પૂછ્યું કે તમાંરે ક્યા જવાનું છે... તો પેલા કાકા એ કીધું કે છત્રીયાલા જવાનું છે... એટલે પેલા ભાઈ એ કીધું કે એતો 6કિમી જેટલું દૂર છે.. તમે શેમાં જાશો?

એટલે પેલા વૃદ્ધ કાકા એ જવાબ આપ્યો કે ચાલી ને વઇ જઇશ, જ્યારે પેલા ભાઈ એ એમને કીધું કે કાકા તડકો બહુ છે... ચાલી ને નો જતા કોઈક વાહન માં બેસી જાજો અને પેલા 20 રૂપિયા ભાડા નાં લીધા હતા તે પાછા આપી દીધા, એટલે પેલા વૃદ્ધ વ્યક્તિ એ કીધું નાં તમે રાખો એ તો કઈક વ્યવસ્થા થઇ જાશે,  અને ત્યારે પેલા ટ્રાવેલ્સ વાળા ભાઈ એ કીધું રાખો ને કાકા તમે શાંતિ થી પહોંચી જાવ... 


આ ઘટના જોઈ મને પેલા કાકા અને તેમની આ ઉમરે આવી હાલત જોઈ દુ:ખ થયું અને પેલા ડ્રાઈવર ભાઈ એ મદદ કરી જોઈ ને એમ થયું કે માનવતા જેવું હજુ ક્યાંક છે... બાકી મેં કેટલાય છેતરપીંડી કરતા અને લૂટારા લોકો જોયા છે... પરતું આપડે બની શકે તો ક્યાંક ને ક્યાંક આવી નાની નાની મદદ કરવી જોઈએ... આવું કરવાથી બીજા કોઈ જોવે કે નો જોવે પરતું આપડને અંદરથી ખૂબ ખુશી થશે મદદ કર્યા પછી... 🙏

  Writer ✍️

 આનંદ વોરા.

Comments

  1. સરસ વાત કરી છે ભાઈ માનવતા હજી લોકો માં જીવે છે એ સાબિત કરે છે આ વાત... સક્ય હોય ત્યાં લોકો ને મદદ કરવી જ જોઈએ..

    ReplyDelete
  2. અનુભવ શેર કરવાથી જ્ઞાન વધે છે ..આપની અંદર ની પ્રતિભા પણ ખીલે છે
    માનવતા ઘણા ઉદાહરણો જોવા મળે છે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો.  એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!   બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે.  હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી.  એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા.  મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?" લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની??  બીક માં રહેવાનું??  કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત.  પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું???  (આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો ...

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

સુધા મૂર્તિ નાં પુસ્તક નો અંશ

આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા લેખીકા , સમાજસેવિકા , અને શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.          તેઓ કહે છે ,, કે ’ સ્વપ્ના જોવા એ સારી વાત છે , પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે , પરંતુ જ્યારે સ્વપ્ન અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.         આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા.   અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ ,, તેણે કિધું મેડ્મ નહી કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.   ...