Skip to main content

માનવ ટીફિન સેવા Chuda

 માનવ ટીફિન સેવા Chuda. 


આજે અચાનક જ બજારમાં Khushalbhai Vaghela ખુશાલભાઈ સાથે મુલાકાત થઈ, જોકે અમે બંને પેલા એકબીજાને ઓળખતા નહિ, પરંતુ મે ગામના બીજા લોકો પાસેથી ખુશાલ ભાઈ જે સેવાનું કામ કરે છે એના વિશે સાંભળેલુ કે આ ભાઈ ઘણા સમયથી ગામના નિરાધાર લોકોને વિનામૂલ્યે જમવાનું પુરુ પાડે છે.  જોકે હું પણ એમને ઘણી વખતે activa મા ટીફ઼િન લઇને જતા પણ જોવ એટલે ઘણા સમયથી ઇચ્છા હતી કે ખુશાલભાઈ સાથે એકવાર વાત કરુ કે મુલાકાત કરુ. 


અને આજે અચાનક એમની સાથે મુલાકાત થઈ જ ગઈ એટલે મે એમને કીધૂ કે "સાહેબ આપ ખૂબ સારી સેવા કરો છો હું આપની કામગીરી ઘણા સમયથી જોવુ છુ good work.  તો એમને હસતા હસતા કિધૂ કે thank you !!!  તમારું નામ? એટલે મે એમને મારો પરિચય આપ્યો અને એમને કિધુ તમારી જેવા લોકોને ગામ ના સરપંચ બનવું જોઇએ અથવા રાજકારણમા આવવું જોઈએ.  


પછી એમને હસતા હસતા કિધુ ના ના ભાઈ રાજકારણથી દૂર જ સારા 😃.. 


એમ અમારો વાર્તાલાપ ચાલુ થયો ને એમને કિધુ ચાલો અમારું રસોડુ દેખાડું.. અને હું એમની સાથે ગયો ત્યા જઈને જોયુ તો એમને બધુ જ દેખાડ્યુ.. જેમ કે અલગ અલગ શાકભાજી, અલગ અલગ ઘણા કઠોળ, તેલના ડબ્બા એ પણ સારી કોલેટિના, આગલની બાજુ લોટ દળવાની ઘંટી, 70 થી વધારે ટીફિન પણ પડેલા ત્યાની ચોખ્ખાઇ જોઈ ને જણાયુ કે આવી ચોખ્ખાઇ તો અમે 7000 રૂપિયા આપીયે તે ગાંધીનગરની હોસ્ટેલમા પણ નથી હોતી અને આ જગ્યા એ આવી ચોખ્ખાઇ જોઈને ખૂબ જ આનંદ થયો. 


મે તેમને પૂછ્યુ કે તમે રોજ ના કેટલા લોકોને  જમવાનું પુરુ પાડો છો?  તો એમને જણાવ્યુ કે 40 લોકોને બંને ટાઈમ જમી શકે તેટલુ ભોજન અમે પુરુ પાડિયે છીએ.. 


મે કહ્યુ 40 લોકોને એટલે તો ખૂબ સરસ કહેવાય!! 


આમ તમને આ પ્રવુતિ કે આ સેવા કરવાની પ્રેરણા ક્યાથી મળેલી?? 

તો સાહેબે જણાવ્યુ કે જ્યારે લોકડાઉન થયેલુ ત્યારે ચુડા mamalatadar ની પરમિશન લઇને મે આ પ્રવુતિ ચાલુ કરેલી, કેમ કે એ સમયે ઘણા લોકો આર્થિક રીતે ભાંગી પડેલા, એટલે એ સમયે મે આ પ્રવુતિ ચાલુ કરેલી અને હું રોજ અલગ અલગ જગ્યાએ જમવાનું પુરુ પાડતો.. પછી એવુ બન્યુ કે લોકડાઉન તો પુરુ થઈ ગયુ પણ ગામમા એવા ઘણા લોકો હતા કે જેઓ સાવ નિરાધાર હતા..ઉમરલાયક હતા કે જેઓ જાતે જમવાનું ન બનાવી શકતા કે જાતે પુરુ ન કરી શકતા..


આ સમય ગાળામા મારા ધ્યાને આ બાબત આવી કે અત્યાર સુધી તો એમને આપડે જમવાનું આપ્યુ પરંતુ હવે એમનું શુ??? 


મે જોયુ તો હું આર્થિક રીતે આ સેવા કરી શકુ તેમ છુ અને લોકોને પણ મદદ રૂપ થવા માટે આ કામ સારૂ છે.. આ વિચારના કારણે મે આ પ્રવુતિ ચાલુ કરી.. અને આમ્ પણ હું રિટાયર છુ તો આ કામથી હું પણ થોડો પ્રવુતિ મા રહુ એટલે મને પણ આ કામ કરવા મા ખૂબ જ આનંદ થાય છે..


મે કહ્યુ ખૂબ સરસ ! 

એમને જણાવ્યુ કે દર અઠવાડીએ અમે કઠોળનો ઉપયોગ કરીએ અને સાથે એક મિષ્ટાન પણ આપિયે જેથી લોકો ને ગમે.. 


આગળ મે કીધુ કે હમણા મે facebook માં જોયુ હતું કે તમે સાડીઓ પણ વિતરણ કરેલી તો એમને જણાવ્યુ કે હા!  સાડીઓ અને સાથે સાથે blenket પણ આપેલા જેથી ઠંડીમાં એ લોકોને રાહત થાય અને હવે તો સરકારી દવાખાનામાં પણ કોઇ દર્દી આવેલું હોય અને દાખલ હોય તો એમને પણ ટીફિન અને Blenket આપિયે છીએ..  


એમને સામેથી એ પણ જણાવ્યુ કે કેટલાક લોકો મને આર્થિક રીતે થોડી મદદ પણ કરે છે.. હું ના પાડુ તો પણ થોડા ઘણા પૈસા આપી જાય કે તમે સારું કામ કરો છો એમા આ અમારું નાનકડું યોગદાન એમ!! 


(જો કે હકીકતમા વાત કરૂ તો પૈસા આપવા માટે આપડે વાત કરીએ તો એમા તો ઘણા લોકો દાન આપવા તૈયાર થાય,  પરંતુ મેનેજમેન્ટ કરવું, ટાઇમ આપવો એ ઘણું અઘરૂ છે, જે આ ભાઈ કરી રહ્યા છે) 


આમ, અમારી વચ્ચે ઘણો વાર્તાલાપ થયો. એમને જણાવ્યુ કે હું ક્લાસ 2 તરીકે લેબર ઓફિસર તરીકે નોકરી કરતો હતો અને હાલ નિવૃત જીવન ગાળુ છુ અને આ રીતે સમયપસાર કરુ છુ, મને ગમે છે આ કામ કરવું અને ખુશી પણ છે.. અને એમને એ પણ જણાવ્યુ કે તમારા ધ્યાનમા પણ કોઈ વૃધ્ધ મા- બાપ હોય કે કોઈ એવા વ્યક્તિ હોય તો એ પણ જણાવજો જેથી એમની સુધી અમે પહોચી શકીએ,  કેમ કે આખા ગામમા કઈ

શેરીમા કોને જરૂર છે એ અમને ન ખબર હોય એટલે (તમારી આજુબાજુ પણ કોઈ હોય તો નીચે કમેન્ટ કરજો). 

આ રીતે મારી માનવ ટીફિન સેવા ખાતે મુલાકાત થયેલી,  આ લેખ લખવાનો ઉદેશ કોઈની વાહવાહી કરવા માટે નહિ પરંતુ આ ભાઈ સારી સેવા કરી રહ્યા છે એ જોઈને ગમ્યુ અને આ લેખ લખવાથી કદાચ કોઈ વાંચે ને એમને પણ સેવા કરવાની પ્રેરણા મળે એ છે.. 


કહેવાય છે ને "જ્યોત સે જ્યોત જલાઓ" એના જેવી વાત છે.. 


Thank you

Writer ✍️

Anand J Vora (9033246586)

Comments

Popular posts from this blog

સ્ત્રી પુરુષ વચ્ચેના સબંધ

 થોડા સમય પહેલાની વાત છે. એક પતિ પત્ની રસ્તામાં જઈ રહ્યા હતા, હું તેમની પાછળ ચાલી રહ્યો હતો.  એમને જોઈ એવુ લાગ્યુ કે હજુ નવા જ લગ્ન થયા હશે!   બંને માથી જે બહેન હતા એ થોડા ખુશ મિજાજ માં હતા અને તેમના પતિ સાથે હસી હસી ને વાત કરતા કરતા ચાલતા હતા, નવા લગ્ન હોય એટલે કદાચ તે બહેન ખુશ હશે.  હજુ બહેન બોલતા જ હતા ત્યા પેલા ભાઈ ને ગુસ્સોં આવ્યો ને અચાનક તે બોલ્યો ચૂપ ચાપ હાલી આવ ને.. નકર બે જાપટ કાન નીચે નાખું છું!! ક્યારની શેખ સલી જેમ દાત કાઢેશ,,, મૂંગી હાલી નથી એકતી.  એટલે તે બહેન એકદમ ચૂપ થઇ ગયા અને સાથે ચાલવા લાગ્યા.  મે આ દ્રશ્ય જોયુ તો મને થોડું અલગ લાગ્યુ,ન ગમ્યુ કે "શું આ જમાના માં પણ એક સ્ત્રીને આવી રીતે ગુલામ જ રેવાનું? બીકમાં જ રેવાનુ?" લગ્ન થયા મતલબ કે એને કોઈની ગુલામી કરવાની??  બીક માં રહેવાનું??  કદાચ વાંક હોય અને એ ભાઈ બોલ્યો હોત તો થોડું એવુ ન લાગેત.  પણ એવુ તો કાઇ હતું નહિ નવા લગ્ન હતા અને તે બહેન થોડા ખુશ હતા એને એમા પણ આવુ સાંભળવાનું???  (આ પોસ્ટ વાંચ્યા પછી ઘણા પુરુષ મિત્રોને એમ થયુ હશે કે /એ ભાઈ બરોબર છે એવો થોડો દાબ તો ...

Ias ni tayari

 મને બહુ મોડા ખબર પડી કે IAS કે  PCS ની તૈયારી કરવી હોય તો એના માટે દિલ્હી જવું પડે, લિબર્ટીના કેટલાક ફેકલ્ટી પાસે જાણેલું ત્યારે ખબર પડી કે આવુ પણ કાઇક હોય છે. અને લાસ્ટ "12 ફેંઇલ" બુક વાંચી અને ASPIRENT વેબ સિરિજ જોઈ પછી ખબર પડી કે ત્યા માહોલ કેવો હોય છે તૈયારી માટેનો... ખરેખર મજા આવે ભણવાની. એને એમા પણ ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ જેવા વ્યક્તિ પાસે ભણવાનું હોય એટલે એ વાત જ કાઇક અલગ હોય.. જોકે હવે તો બહુ મોડુ થઈ ગયુ હવે તો ત્યા ન જઈ શકાય કેમ કે હવે તો ઉમર કમાવાની થઈ, પણ આ એક વસ્તુ કે આ તૈયારી કરવા માટે દિલ્હી જવું એ વાત એક સ્વપ્ન જ રહી ગઈ. ડો. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ એક એવુ વ્યક્તિત્વ કે એમને કલાકો બેસીને સાંભળી શકાય, આમ, કંટાળો જ નો આવે,  સાહેબ કોઈ પણ ટોપિક હોય એટલી મસ્ત રીતે સમજાવે કે તરત જ મગજમાં ઉતરી જાય, ભણાવવાની સ્ટાઇલ પણ એવી કે મજા સાંભળવાની મજા આવે..

સુધા મૂર્તિ નાં પુસ્તક નો અંશ

આજે સવાર-સવારમાં એક બૂક વાંચતો હતો. જાણિતા લેખીકા , સમાજસેવિકા , અને શિક્ષણશાશ્ત્રી એવા સુધામુર્તિની ઘણી ક્રુતિઓ માંની એક એવી ક્રુતિ BAHUT KHCU HOTA HAI નો એક આર્ટીકલ વાચ્યોં. તેમણે ખુબ સરસ વાત કરી.          તેઓ કહે છે ,, કે ’ સ્વપ્ના જોવા એ સારી વાત છે , પરંતુ તેને વાસ્તવિક્તામાં ચરિતાર્થ કરવા વધારે અગત્યના છે. મને ટિસ્કો ના ચેરમેન જે.જે.ઇરાની ના શબ્દો યાદ આવ્યા . તે કહેતા કે કાર્ય વગરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહે છે , પરંતુ જ્યારે સ્વપ્ન અને કાર્યબન્ને સાથે મળે ત્યારે દુનિયા બદલી શકાય છે.         આ માટે તેમને એક નાના એવા ૧૨ વર્ષ ના બાળક જે તેની માતા ને કાર્યમાં મદદ કરતો તેનો ઉલ્લેખ કર્યો છે.તેઓ તેનાથી ઇમ્પ્રેસ્સ થયા.   અને પુછ્યું કે તું કેટલા કમાય છે રોજના પરંતુ આ પ્રશ્નને લઇને તેના ઉત્સાહમાં જરાપણ પરિવર્તન ન આવ્યું અને તેણે કીધું માત્ર પાંચથી દસ રુપિયા ત્યાં તેણિ એ કિધું બસ આટ્લા જ ,, તેણે કિધું મેડ્મ નહી કમાવાની દ્રસ્ટીએ તો બહુમોટી રકમ કહેવાયને મતલબ કે ટીપેટીપે જ સરોવર ભરાય.   ...